દિપાવલી અન્નકૂટોત્સવ ઉત્સવ

ભવ્ય અન્નકૂટોત્સવ ૩૧ ઓક્ટોબર ૨૦૧૬

સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી દિપાવલી તથા નૂતન વર્ષે પ્રાર્થના ભવનમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી સીતારામ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી તીરૂપતિજી વગેરે ભગવાનના સ્વરૂપોની આગળ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સવાનાહ તથા આસપાસના વિસ્તારમાં વસતા ભાવિક ભક્તજનો પોતાના ઘરેથી વિવિધ પકવાનો બનાવીને લઇ આવ્યા હતા. ઉપરાંત મંદિરના રસોઇઘરમાં પણ મહિલા ભક્તજનોએ ખૂબ જ ભક્તિભાવ સાથે અનેક પકવાનો તૈયાર કર્યા હતા. નવા વર્ષના રોજ ધરાવવામાં આવેલા ભવ્ય અને દિવ્ય અન્નકૂટના દર્શન કરવા તેરસો ઉપરાંત ભક્તજનો આખા દિવસ દરમિયાન પધાર્યા હતા અને દરેકના મુખ ઉપર આટલા વિશાળ અન્નકૂટના દર્શન કરી આશ્ચર્ય ભાવ પ્રગટ થતો હતો. આજ રોજ મંદિરમાં દર્શને આવનાર દરેક ભક્તો આરતિનો લાભ લેતા અને પ્રસાદ લઇ છૂટા પડતા હતા.

આ ઉત્સવનું તમામ આયોજન પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી સંતો તથા સવાનાહના ઉત્સાહી ભાઇ-બહેનોએ ભારે જહેમત ઉઠાવીને કર્યું હતું.

image: 
News Type: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.